કવિ દાદ
દાદુદાન પ્રતાપદાન મિશણ (ગઢવી) નું 26 એપ્રિલ 2021 નિધન થયું.
● કવિ દાદના નામથી જાણીતા.
● મૂળ વતન - ઈશ્વરીયા (ગીર)
● તેના સમગ્ર કાવ્ય સંગ્રહ 'ટેરવાં' અને 'લછનાયન' માં થયેલ છે. (વિમોચન મોરારીબાપુના હસ્તે)
● 8 ભાગમાં પ્રકાશિત થયેલ ગ્રંથ - 'ટેરવા'
● 'ચિત્તહરનું ગીત' , 'શ્રીકૃષ્ણ છંદાવલી', 'રામનામ બારાક્ષરી' જેવા પુસ્તકો.
● 'બંગાળ બાવની' પુસ્તકમાં 52 રચનાઓ કરેલ. (પશ્ચિમ બંગાળને લઈને પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ વખતે)'
● 15 જેટલી સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મોના ગીતો લખ્યાં.
■ મળેલ સન્માન
● ગુજરાત ગૌરવ પુરસ્કાર
● ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
● કવિ દુલા કાગ એવોર્ડ
● હેમુ ગઢવી એવોર્ડ
● તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર
■ પ્રસિદ્ધ રચનાઓ
● કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો (કન્યા વિદાય ગીત, જે 1975માં બનેલ 'શેતલ ને કાંઠે' ફિલ્મમાં)
● કૈલાશ કે નિવાસી (નારાયણ સ્વામીના કંઠે)
● ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.(પ્રાણલાલ વ્યાસના કંઠે, જે ફિલ્મ 'શેઠ શગાળશા' નું)
🙏 ગુજરાતી સાહિત્યના અણમોલ રત્ન શ્રી દાદ બાપુને શ્રદ્ધાંજલિ 🌹🌺
Comments
Post a Comment