સોનાની ફરજિયાત હોલમાર્કિંગ
● 1 જૂન, 2021 થી, સોનાના દાગીના અને કલાકૃતિઓની ફરજિયાત હોલમાર્કિંગથી સંબંધિત નિયમો અમલમાં આવશે.
● નવેમ્બર 2019 માં, કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે 15 જાન્યુઆરી 2021 થી દેશભરમાં સોનાના દાગીના અને કલાકૃતિઓની હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવશે, પરંતુ કોરોના વાયરસના રોગચાળાને પગલે, આ નિયમોના અમલીકરણને ચાર મહિના સુધી લંબાવવામાં આવ્યા હતા.
● સોનાની હોલમાર્કિંગ એ તેની શુદ્ધતાના પુરાવાને દર્શાવે છે અને હાલમાં સોનાની હોલમાર્કિંગ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે.
● સરકારની દલીલ છે કે સોના અને ચાંદીના ઝવેરાતની ફરજિયાત હોલમાર્કિંગનો હેતુ ગ્રાહકોને સોના અથવા ચાંદીની અનિયમિત ગુણવત્તાને કારણે થતા નુકસાનથી બચાવવા છે.
● 1 જૂન, 2021 થી, સોનાના વેચાણકર્તાઓને ફક્ત 14, 18 અને 22 કેરેટના સોનાના ઝવેરાત વેચવાની મંજૂરી આપવામાં આવશે.
● આંકડા મુજબ હાલમાં સોનાના હોલમાર્ક ધરાવતા ઝવેરાતનો માત્ર 40 ટકા હિસ્સો છે.
● એક અંદાજ મુજબ, ભારતમાં ઘરો અને મંદિરોમાં લગભગ 25,000 ટન સોનું છે, જેની કિંમત લગભગ 110 લાખ કરોડ છે, તેમ છતાં ભારત સોનાનો સૌથી મોટો આયાત કરનાર છે.
● નાણાકીય વર્ષ 2020 માં ભારતે કુલ 1.3 અબજ અમેરિકન ડોલરના મૂલ્ય કરતા વધારેનું સોનું આયાત કરાયું છે.
માહિતી સ્ત્રોત : Drishti IAS
Comments
Post a Comment